શ્રીમતી નિર્મલા સીતારમણે તમિલનાડુમાં અદિચનાલ્લુર પુરાતત્વીય સ્થળ ખાતે ‘આઇકોનિક સાઇટ મ્યુઝિયમ’નો શિલાન્યાસ કર્યો
- કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે તમિલનાડુમાં અદિચનાલ્લુર પુરાતત્વીય સ્થળ ખાતે ‘આઇકોનિક સાઇટ મ્યુઝિયમ’નો શિલાન્યાસ કર્યો હતો. તમિલનાડુના થૂથુકુડી જિલ્લામાં તામિરાબારાની (પોરુનાઈ) નદીના કિનારે સ્થિત પ્રાચીન અને ઐતિહાસિક લોહ યુગના દફન સ્થળ અદિચનાલ્લુરની આ પુરાતત્વીય સ્થળ કેન્દ્રીય બજેટ 2020-21માં ‘આઇકોનિક સાઇટ’ તરીકે વિકસાવવાની જાહેરાત કરાયેલી પાંચ સાઇટ્સમાંની એક હતી.
5 પુરાતત્વ સ્થળોને સ્થાનિક સંગ્રહાલય સાથે પ્રતિમાત્મક સ્થળો :વર્ષ 2020-21 માટે કેન્દ્રીય અંદાજપત્ર
- 5 પુરાતત્વ સ્થળોને સ્થાનિક સંગ્રહાલય સાથે પ્રતિમાત્મક સ્થળો તરીકે વિકસાવાશે જેમાં રાખીગઢી (હરિયાણા), હસ્તિનાપુર (ઉત્તરપ્રદેશ), શિવસાગર (આસામ), ધોળાવીરા (ગુજરાત), અદિચનાલ્લુર (તામિલનાડુ)નો સમાવેશ થાય છે. જહાજ મંત્રાલય દ્વારા લોથલ, અમદાવાદમાં હડપ્પા યુગની સંસ્કૃતિને દર્શાવતા મેરિટાઇમ મ્યુઝિયમ સ્થાપના તેમજ રાંચી (ઝારખંડ)માં જનજાતીય સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવશે.