સંગીત નાટક અકાદમી અમૃત પુરસ્કાર
- આઝાદીના અમૃત મહોત્સવના અવસરે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે ભારતના પર્ફોર્મિંગ આર્ટ ક્ષેત્રના 84 કલાકારોને એક વખત સંગીત નાટક અકાદમી અમૃત એવોર્ડ પ્રદાન કર્યા હતા.
- કારકિર્દીમાં અત્યાર સુધી કોઈ રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું નથી એવા ભારતના પર્ફોર્મિંગ આર્ટ્સના ક્ષેત્રના કલાકારો કે જેઓ 75 વર્ષથી વધુ ઉંમરના છે તેમનું સન્માન કરવામાં આવે છે. આ સન્માનમાં રૂ. 1,00,000 ( એક લાખ રૂપિયા ) ઉપરાંત તાંબાની પ્લેટ અને અંગવસ્ત્ર આપવામાં આવે છે.
ગુજરાત
- સ્મિતા શાસ્ત્રી : કુચીપુડી (76)
- ડાયાભાઈ નાથાભાઈ નકુમ : લોક સંગીત અને નૃત્ય(78)
- જનક હરિલાલ દવે : રંગભૂમિ શિક્ષણ (92)