અમિત અગ્રવાલ UIDAI CEO નિયુક્ત
- સૌરભ ગર્ગની બે વર્ષની મુદત પૂરી થતા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે અમિત અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે.
- ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના અધિક સચિવ અગ્રવાલને ભારત સરકારના વધારાના સચિવના રેન્ક અને પગારમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
UIDAI: The Unique Identification Authority of India
- આધાર અધિનિયમ 2016 અંતર્ગત 12 જુલાઈ 2016ના રોજ ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી અંતર્ગત સ્થપાયેલ વૈધાનિક ઑથોરિટી છે.
- મુખ્ય કાર્યપાલક અધિકારી(CEO): અમિત અગ્રવાલ
- મુખ્ય મથક : નવી દિલ્હી અને સમગ્ર દેશમાં આઠ પ્રાદેશિક કચેરીઓ
- બે ડેટા કેન્દ્રો: હેબ્બલ (બેંગલુરુ), કર્ણાટકમાં અને હરિયાણાના માનેસર (ગુરુગ્રામ)
- ઑથોરિટીમાં બે પાર્ટ ટાઈમ સભ્યો અને એક ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર હોય છે, જે ઑથોરિટીના સભ્ય સચિવ રહેશે.