ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ

ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ

  • ગુજરાત સરકારે રાજ્યમાં નાળિયેરીની ખેતી, ઉત્પાદન અને નાળિયેરી સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવા ચાલુ વર્ષે જ ‘ગુજરાત નાળીયેરી વિકાસ કાર્યક્રમ’ અમલમાં મૂક્યો છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી 3 સપ્ટેમ્બર સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
  • નાળિયેરીનો વાવેતર વિસ્તાર 26 હજાર હેક્ટરથી વધીને 70 હજાર હેક્ટર સુધી પહોંચી શકે છે. આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને નાળિયેરી વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના 75 ટકા મહત્તમ રૂ. 37,500 પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જેની ચૂકવણી 2 હપ્તામાં કરવામાં આવશે, 75 ટકા સહાય પ્રથમ હપ્તામાં અને બાકીની 25 ટકા સહાય બીજા હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • આ ઉપરાંત નાળિયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫નને પ્રોત્સાહન આપવા માટે ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ.5000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ તમામ સહાય ખેડૂત/ખાતા દીઠ 4 હેક્ટરની મર્યાદામાં જ આપવામાં આવશે. વર્ષ 2023-24ના અંદાજપત્રમાં કુલ રૂ. 403.30 લાખની જોગવાઇ સાથે નવી યોજના તરીકે આ મિશનને મંજૂરી આપાઈ હતી.

Leave a Comment

Share this post